પંજાબમાં પરાળી સળગાવવાના કિસ્સા 33 ટકા વધ્યા, દિલ્હીમાં હવા પ્રદૂષિત, બેઉ રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતમાં વ્યસ્ત
October 30, 2022
નવી દિલ્હીઃ પંજાબમાં પરાળી સળગાવવાના કેસોમાં વધારો થવાની સાથે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ હજુ ચિંતાજનક છે અને છતાં દિલ્હી અને પંજાબના આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની આગામી ચૂંટણીમાં વ્યસ્ત છે.
સમાજના અનેક અગ્રણી અને જાણકાર લોકો આ મુદ્દે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી પંજાબમાં હજારો ખેડૂતો દ્વારા પરાળી સળગાવવામાં આવી રહી છે પરંતુ પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર એ દિશામાં કોઈ નક્કર પગલાં લેતી હોય એવું દેખાતું નથી. દિલ્હીમાં એક્યુઆઈ પ્રદૂષણની માત્રા 400 કરતાં વધુ થઈ ગઈ છે. પંજાબમાં ગત વર્ષની સરખામણીમાં પરાળી સળગાવવાના કિસ્સામાં 33 ટકા વધારા સાથે 10,214 કેસ નોંધાયા છે. બંને રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, પરંતુ બંનેમાંથી કોઇને પ્રજાની ચિંતા હોય એવું લાગતું નથી. https://twitter.com/AjayKumarJourno/status/1586587769463222272
સ્થિતિ વણસી ગઈ છે અને આપ-ના નેતાઓ ગુજરાતમાં ચૂંટણીની વાંસળી વગાડી રહ્યા છે. https://twitter.com/TaruniGandhi/status/1586581724669956096?t=JkauuGBRMGCs0LLnGpjf2w&s=08
આ અંગે નેટિઝન્સ મીડિયાને પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, આ મુદ્દો આટલો ગંભીર હોવા છતાં કોઈ મીડિયા ભગવંત માન કે પછી કેજરીવાલને સવાલ પણ કરતા નથી! ઈન્ડિયન એક્સપ્રેસે આજે રવિવારે આ અંગેનો અહેવાલ લીધો છે પરંતુ એ પણ છેક 10મા પાને લીધો હોવાથી અનેક લોકોએ અખબાર પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી છે. https://twitter.com/saket71/status/1586580847863664640
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું
- પાવરબેંક હવાઇ યાત્રા દરમિયાન સામાનના ખાનામાં નહીં પણ સીટ પર રાખવી પડશેઃ આ દેશની એરલાઇન્સ માટે નવો નિયમ
