આપ પાર્ટી પંજાબના કરદાતાઓના નાણા ગુજરાતમાં પ્રચાર પર વાપરે છે
October 30, 2022
નવી દિલ્હીઃ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટી કાળા નાણાનો ઉપયોગ કરે છે તેવા ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આક્ષેપ બાદ હવે એક નવો ફણગો ફૂટ્યો છે. આમ આદમી પાર્ટી આ પ્રચારમાં પંજાબના પ્રામાણિક અને મહેનતુ કરદાતાઓના નાણાનો ઉપયોગ કરતી હોવાનું પંજાબ સરકાર દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પંજાબ સરકારના સત્તાવાર જવાબને ટૅગ કરીને ભાજપના નેતા અમિત માલવિયએ લખ્યું છે કે, છેલ્લા એક મહિનામાં આપ પાર્ટી શાસિત પંજાબ સરકારે ફેસબુક જાહેરાતો ઉપર રૂપિયા 2.27 કરોડનો ખર્ચ કર્યો છે, જે પૈકી રૂપિયા 1.58 કરોડ અર્થાત 69 ટકા જેવી જંગી રકમ ગુજરાત માટે ખર્ચવામાં આવી છે. કેજરીવાલના ગુજરાતમાં પ્રચાર માટે પંજાબના લોકોએ શા માટે નાણા ચૂકવવા પડે છે? સરકારી નાણાનો આ બેશરમ રીતે થઈ રહેલો દૂરુપયોગ છે.
માલવિયએ પંજાબ સરકારની જે સત્તાવાર વિગત શૅર કરી છે તેમાં 28 સપ્ટેમ્બર, 2022થી 27 ઑક્ટોબર, 2022 સુધી પંજાબ સરકારના ફેસબુક પેજ દ્વારા કરવામાં આવેલા ખર્ચની વિગતો જોવા મળે છે. તે અનુસાર બે કરોડ સત્યાવીસ લાખ કરતાં વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને તેમાંથી સૌથી વધુ રકમ અર્થાત એક કરોડ અઠ્ઠાવન લાખ ચોરાણુ હજાર સાતસો ઓગણચાળીસ (1,58,94,739)નો ખર્ચ ગુજરાત માટે કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ ફેસબુક પેજ પર પંજાબ સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણી શકાય છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું