ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની વિવાદાસ્પદ પાદરી સાથે મુલાકાત
September 10, 2022
ચેન્નઈઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાએ નીકળ્યા છે. પરંતુ આ દરમિયાન તેમણે એક પાદરી ફાધર પી. જ્યોર્જ પોનૈયા સાથે પણ મુલાકાત કરી જેને કારણે વિવાદ થયો છે.
આ પાદરી જ્યોર્જ પોનૈયા હિન્દુઓ, હિન્દુ મંદિરો તેમજ ભારતમાતાનું અપમાન કરવાના આરોપસર હાલ કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છે.
"Bharat Mata, Bhumi Devi cause scabies. So, we wear shoes so that Bharat Mata can't contaminate us" ~ Catholic priest George Ponnaiah in 2021.
Or yeh Bharat jodega?
Bharat Jodo Yatra or Bharat Todo Yatra? pic.twitter.com/9jycpkOeuY
— Anshul Saxena (@AskAnshul) September 10, 2022
પાદરી જ્યોર્જ પોનૈયાએ હિન્દુ પૂજા પદ્ધતિની મજાક ઉડાવી હતી ટલું જ નહીં પરંતુ ભારતમાતાની પણ મજાક ઉડાવી હતી. પાદરીએ કોરોના લૉકડાઉન દરમિયાન કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ તેમજ તમિલનાડુના ભાજપના એક નેતા વિરુદ્ધ અપમાનજનક ઉચ્ચારણો કર્યા હતા. અને એ કેસમાં પણ તેની સામે કોર્ટ કાર્યવાહી ચાલુ છે. પાદરીએ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના અરુમનાઈ ખાતે ગેરકાયદે બેઠક યોજી હતી.
પાદરીએ પોતાની સામેનો કેસ અને એફઆઈઆર પાછી ખેંચવા મદ્રાસ હાઈકોર્ટમાં રિટ કરી ત્યારે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હિન્દુઓની ધાર્મિક ભાવના ઉપર બોલવાની જરૂર નહોતી. અરજદારે એવા લોકોની મજાક ઉડાવી છે જેઓ આ ધરતીને માતા ગણે છે.
पादरी जॉर्ज पोन्नैया राहुल गांधी को समझाते हुए
"सिर्फ जीसस क्राइस्ट ही असली भगवान हैं, बाकी हिन्दू देवी -देवता नहीं "ये वही जॉर्ज पोन्नैया है जिसने पहले भी हिन्दू धर्म और भारत माता का मजाक उड़ाया था @RahulGandhi जी येभारत जोड़ो यात्रा है या धर्म तोड़ो यात्रा ? pic.twitter.com/AoZBqsiNlj
— Social Tamasha (@SocialTamasha) September 10, 2022
પાદરી જ્યોર્જ પોનૈયાએ જુલાઈ 2021માં અત્યંત વાંધાજનક નિવેદન કરતાં કહ્યું હતું કે, ભારત ચેપી રોગોનું ઘર છે અને ગંદકીથી ખદબદે છે. તેના આવાં નિવેદનો બાદ તેમની વિરુદ્ધ કેસ દાખલ થયો હતો જેને પગલે તેમની ધરપકડ પણ થઈ હતી.
પાદરીએ પોતાની વિરુદ્ધ એફઆઈઆર પાછી ખેંચવા મદ્રાસ હાઇકોર્ટમાં અપીલ કરી ત્યારે જાન્યુઆરી 2022માં હાઇકોર્ટે કહ્યં હતું કે પાદરીની ટિપ્પણીથી ભારતીય દંડ સંહિતા ધારાની કલમ 295-એ હેઠળ ધાર્મિક ભાવનાઓ ઘવાઈ છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું